સમગ્ર મામલે કરણી સેના દ્વારા કરાશે વિરોધ- ભૂપતસિંહ જાડેજા
શ્રદ્ધા ભક્તિના પાવન પર્વ નવરાત્રીનું ભાન ન રાખીને ઉર્વશી સોલંકીએ ખુલ્લેઆમ યુવાનોને સેટિંગ કરવાનો મામલો વિવાદિત બન્યો છે. જો કે લાજવાના બદલે હવે ઉર્વશી ગાજવા લાગી છે. ઉર્વશી સોલંકીએ કહ્યું કે, હું હિંદુ ધર્મને સાથે લઇને ચાલનારી વ્યક્તિ છું, મારા શબ્દોને તોડી મરોડીને રજુ કરાઇ રહ્યા છે. આ સાથે ઉર્વશી સોલંકીના નિવેદનના કારણે એક વધારે વિવાદ શરૂ થયો છે. ત્યારે તે અંગે કરણી સેના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તેઓએ મીડિયા સામે લોકોની લાગણી દુભાણી હોવાની વાતચિત કરી હતી. તેમજ સમગ્ર મામલે કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું.