ધોરાજીના ભાદાજાળીયાના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા સરપંચ અને પૂર્વ તલાટી મઁત્રી ઉપર ભ્રસ્ટાચારના આરોપ લગાવ્યા હતા.સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા ભાડેરના કેળાના રસ્તા માટે 14000 રૂપિયાનું વાઉચર મુકેલ પરંતુ કોઈ કામ થયું ન હોવાથી સરપંચ અને તલાટી દ્વારા ભ્રસ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાયો હતો. સરપંચ અને તલાટી મઁત્રી વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભાદાજાળીયા ન્યાય સમિતિના ચેરમેને ધોરાજી તાલુકા પંચાયત કચેરી બહાર ગાંધી ચીંધીયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.