રાજકોટની નજીક આવેલા રતનપર ગામમાં ભગવાન શ્રી રામનું મંદિર આવેલુ છે.આ મંદિર વિશ્વનું સૌથી મોટુ ધનુષ્ય આકારનું મંદિર માનવામાં આવે છે.તેમજ આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે આ મંદિરમાં રામસેતુ સમયનો પથ્થર અહિંયા પાણીમાં તરે છે.જેને જોવા લોકો દેશ-વિદેશથી આવે છે.આ સાથે જ લોકો આ મંદિરમાં દુર દુરથી પોતાની માનતા પુરી કરવા માટે આવે છે.તેમજ આ આખુ મંદિર ધનુષ આકારનું છે.અને આ મંદિરમાં વચ્ચે એક પણ પિલોર કે બિમ્બ નથી.આ સાથે આ મંદિરમાં આખી રામાયણ બતાવતી ઝાંખી રજુ કરવામાં આવી છે.જે લોકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.જે અંગે મંદિરના ટ્રસ્ટી પ્રવિણસિંહ ઝાલાએ કહ્યું કે મંદિરમાં જે પથ્થર તરે છે તેનો વજન 11 કિલો છે.40 વર્ષ પહેલા એક સંત આવ્યા હતા.જે આ પથ્થર અહિંયા મુકી ગયા હતા.ત્યારે તેમને કહ્યું હતું કે આ પથ્થર પ્રસાદીના રૂપમાં આપી જાવ છું.જે પણ ભક્ત તેના દર્શન કરશે તેની મનોકામના પૂર્ણ થશે.તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો બીજો કોઈ પથ્થર હોય તો તે પાણીમાં ડુબી જાય પણ આ પથ્થરને 40 વર્ષ થયા છે છતા આ પથ્થર ડુબ્યો નથી.આ પથ્થર પર રામ પણ લખેલુ છે.અમેરિકાવાળાએ સંશોધન પણ કર્યું છે કે જો વિશ્વમાં કોઈ મોટામાં મોટો પુલ હોય તો તે આ રામસેતુ પુલ છે.જે અત્યારે દરિયાની અંદર છે.જે પુલમાંથી પથ્થર અલગ પડ્યા હોય તે આ પથ્થર છે.આવા પથ્થર રામેશ્વરમાં આજે પણ જોવા મળે છે.તેમજ અહિંયા આવતા ભક્તો પણ આ રામસેતુ વખતના પથ્થરને જોઈને ધન્યતા અનુભવે છે.અહિંયા લોકો એવુ માને છે કે દુરથી સિક્કો આ પથ્થર પર ફેંકવામાં આવે અને તે પથ્થર પર રહી જાય તો તેની મનોકામના પૂર્ણ થાય છે.જેથી દેશ-વિદેશથી પણ ભક્તો આ પથ્થરના દર્શન કરવા માટે આવે છે.