29.1 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

જામનગર: કાલાવડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન


જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલ દિવ્ય જ્યોત વિદ્યાલય સંકુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ શોર્ય પ્રશિક્ષણ વર્ગ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 41 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળની આરાધનાની યાત્રા અવિરત ચાલી રહી છે. ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ઉદ્દેશ્યને લઈને લાખો કાર્યકર્તાઓ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાજ પરિવર્તન થકી માતૃભૂમિની સેવા કરી રહ્યા છે.કાર્યકર્તાઓના પ્રશિક્ષણ હેતુ દર વર્ષે યોજાતો બજરંગ દળ પ્રાંત શૌર્ય પ્રશિક્ષણ વર્ગ આ વર્ષે કાલાવડમાં સંપન્ન થયો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સંતો તથા અતિથિ વિશેષ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ધ્વજારોહણ બાદ, બજરંગ દળના ભાઈઓએ પ્રાત્યક્ષિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં દાણીધાર ધામના મહામંડલેશ્વર 1008 પરમ પૂજ્ય સંત શ્રી સુખદેવદાસ બાપુ તથા નવાગામ શિવાશ્રમ ધામના પરમ પૂજ્ય સંત શ્રી હંસદેવ ગીરી બાપુએ સંતોના આશીર્વાદ આપ્યા. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ધર્મેન્દ્રભાઈ ભાવાણીએ પ્રવચન આપ્યું. પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -