રાજકોટના ગોંડલમાં નગર પાલિકા ફૂડ શાખા દ્વારા નવરાત્રી તેમજ દશેરા ના તહેવારને લઈને ચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં શહેરની ફરસાણ તેમજ મીઠાઈ, ખાણી પીણી ની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ ફૂડ શાખા દ્વારા અનેક વેપારીને ત્યાં અખાદ્ય તેમજ વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ સાથે ફૂડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરાતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.