23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

કેશોદ જલારામ મંદિરે મેગા નેત્ર નિદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન; કેમ્પમાં 190 જેટલા દર્દીઓએ લીધો લાભ..


કેશોદના જલારામ મંદિરે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં 190 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જરૂરીયાતમંદ 44 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ જ્યાં વિનામૂલ્યે ઓપરેશન કરી દર્દીઓને પરત કેશોદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ સમગ્ર કાર્યક્રમ અંગે વાતચિત કરતાં જલારામ મંદિરનાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબારનાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં  અત્યાર સુધીમાં 290 જેટલાં કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 20 હજાર જેટલાં મોતિયાના દર્દીના ઓપરેશનમાં લોકોને લાખો રૂપિયાની રાહત થયેલ છે. તેમજ જલારામ મંદિર પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે. ત્યારે આજરોજ યોજાયેલા મેગા કેમ્પની  શરૂઆત કેમ્પનાં ભોજન દાતા દક્ષાબેન પ્રબોધભાઈ મહેતા દીનેશભાઈ કાનાબાર  રમેશભાઈ  ડો સ્નેહલ તન્ના મામલતદાર ત્રિવેદી સાહેબ ડો પરિતોષ પટેલ  હેમંત ઘેરવરા  જગમાલ ભાઈ નંદાણીયા હરીશ રામ  ભીમભાઇ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ આ નેત્ર નિદાન કેમ્પમાં 190 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ દ્વારા આંખોની તપાસ કરી જેમાના જરૂરીયાતમંદ 44 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા તેમજ કેવદ્વા પીએચસીનાં સરકારી ડો નિકિતા પટેલ દ્વારા હોમિયોપેથી 38 દર્દીઓ ચેક કરી ફ્રી દવાઓ આપી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -