શામળાજી નજીક આવેલા રતનપુર પાસે આવેલી અંબાર હોટેલ ઉપર સોમવારે રાત્રી દરમિયાન રાજસ્થાન બાજુથી એક સ્વીફ્ટ કાર લઇ અજાણ્યા ચાર શખ્સો આવ્યા હતા અને ત્યાર બાદ કાર માંથી ત્રણ શખ્સો નીચે ઉતાર્યા હતા. જે પૈકી એક શખ્સ પાસે હાથમાં રિવોલ્વોર હતી. જેને હવામાં બે રાઉન્ડ અને પ્રોવિઝન દુકાન આગળ કાઉન્ટર ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે અન્ય બે શખ્સોએ હોટેલ આગળ મુકેલી બે કાર પૈકી એક કારને તોડવાનો પ્રયાસ કરી કારને નુકસાના પહોચાડ્યું હતું. જ્યારે બીજા શખ્સે કારણે આગ લગાવી હતી. આ ઘટનામાં પ્રોવિઝન સ્ટોર ઉપર ફરજ બજાવી રહેલા એક કર્મચારીને માથામાં રિવોલ્વોરની મુઠ્ઠો મારતા ઇજાઓ થઇ હતી ત્યાર બાદ આ ચારેય શખ્સો ભાગી છૂટયા હતા.સમગ્ર મામલે હોટેલ માલિકે શામળાજી પોલીસને જાણ કરી હતી જે આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ તેજ કરી હતી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પણ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ચાર અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધી હુમલાનું કારણ તેમજ હુમલો કરનાર શખ્સોને સીસીટીવી આધારે ઝડપી પાડવા એલસીબી એસઓજી ટીમોને કામે લગાડી અને સમગ્ર ગુનાનો ભેદ જલ્દી ઉકેઇ કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે હવે આ શખ્સો ક્યાં સુધી પોલીસ પકડથી દૂર રહે છે તે જોવું રહ્યું, કારણ કે કાયદા અને વ્યવસ્થાનું સરેઆમ નાક કાપી ગયેલા આ શખ્સોને હવે કાયદાનું ભાન ક્યારે થશે તે પણ જરૂરી છે.
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી